Latest News

Latest News And Events – Adwait Vidya Sankul,Jasara
6 Results

તારીખ:- 26/02/2026જસરાઆજરોજ અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અદ્વૈત વિદ્યામંદિર જસરા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ લાખણી શાખા દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપવામાં આવેલ.આજથી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સની વાર્ષિક પરીક્ષામાં અદ્વૈત વિદ્યાસંકુલ જસરા ખાતે અને સરકારી સાયન્સ સ્કૂલ લાખણી ખાતે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા મુજબ મંત્રોઉચ્ચાર કરીને કંકુ તિલક અને સ્વસ્તિક કરીને ગોળથી મોં મીઠુ કરાવીને દરેક વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને પેન આપી શુભકામનાઓ આપવામાં આવેલ. ડૉ. મનોજભાઈ દવે દ્વારા પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી નિર્ભય બની પરીક્ષા આપી શ્રેષ્ઠ પરિણામ લાવવાના શુભ આશિષ આપેલ.કાર્યક્રમમાં અદ્વૈત વિદ્યાસંકુલના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ મનોજભાઈ દવે, સાયન્સ વિભાગના આચાર્ય પાર્થભાઈ ગુરુદેવ, મિહિરભાઈ મોંઢ તેમજ લાખણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદની સંપૂર્ણ ટીમ અને બોર્ડ દ્વારા નિયુક્ત તમામ શિક્ષકો હાજર રહેલ.આભાર સહઅદ્વૈત વિદ્યાસંકુલ જસરા

તારીખ:- 20/02/2026અદ્વૈત આર્ટ્સ કોલેજ, જસરા

આજરોજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અદ્વૈત આર્ટ્સ કોલેજ જસરાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ.આજના કાર્યક્રમમાં ડૉ. મનોજભાઈ દવે – મેનેજીંગ ડાયરેક્ટર અદ્વૈત વિદ્યાસંકુલ […]

સુજ્ઞ વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ આપ સૌને જણાવવાનું કે આગામી 19/03/2026 થી કોલેજની ઈન્ટર્નલ પરીક્ષા શરૂ થશે તેમજ 30/03/2026 થી યુનિવર્સિટી પરીક્ષા શરૂ થનાર છે. બી.એ. સેમ – ૨/૪/૬ ના ઈન્ટર્નલ પરીક્ષાનો કાર્યક્રમ માર્ચ – ૨૦૨૬ વેબસાઈટ પર EXAMINATION માં મુકવામાં આવે છે.

COMPETITIVE EXAM FREE COACHING

સુજ્ઞ વિદ્યાર્થીજય શ્રી કૃષ્ણ આપ સૌ જાણો અવગત થશો કે આપણી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના લેક્ચર ચાલું થઈ ગયા છે. દર અઠવાડિયાના ગુરુ, શુક્ર, શનિ એમ ત્રણ દિવસ આ લેક્ચર લેવાશે. […]

No More Posts To Load